ब्रेकिंग न्यूज़

કોડીનાર તાલુકાના મીતીયાજ ગામના ખેડૂતો જર્જરીત રસ્તાથી થાક્યા

કોડીનાર પંથકમાં ડાબા કાંઠા કેનાલની બાજુના રસ્તા પાકા કરવા ખેડૂત આગેવાનોની મુખ્યમંત્રીને ધારદાર રજૂઆત

 

કોડીનાર, તા. ૯ માર્ચ ૨૦૨૬: જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના યુવા સરપંચ અને ખેડૂત આગેવાનોએ ડાબા કાંઠા કેનાલની બાજુમાંથી પસાર થતા જર્જરિત રસ્તાને ડામરથી મઢીને પાકા બનાવવાની માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને ધારદાર રજૂઆત કરી છે. આ આગેવાનોએ કોડીનાર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને પણ આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

 

મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિંહ બારડ, ખેડૂત આગેવાન લલિત વાળા, શનિભાઈ બારડ, જગુભાઈ મોરી, પ્રવિણભાઈ સેવરા અને રણજીતસિંહ પરમારના નેતૃત્વમાં આ રજૂઆત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, કોડીનાર પંથકમાં ડાબા કાંઠા કેનાલ ૧૫થી ૨૦ ગામોના હજારો ખેડૂતોની જીવનદોરી બની છે. આ કેનાલ દ્વારા પિયત પાણી પૂરું પાડવાથી ખેડૂતોના પાકોને બચાવવામાં મદદ મળે છે, પરંતુ કેનાલની બાજુમાંથી પસાર થતા રસ્તાઓ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત અને રફ હાલતમાં છે.

 

સરપંચ સુરપાલસિંહ બારડે વધુમાં જણાવ્યું, “કેનાલ વિસ્તારમાં હજારો વિઘા ખેતીલાયક જમીન આવેલી છે. ખેડૂતો પોતાના પાકોની લણણી કરીને તેને રહેણાંક કે કોડીનારના માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે મોટી મુશ્કેલી પડે છે. વળી, આ વિસ્તારમાં ખેડૂતો પશુપાલનનો વ્યવસાય ધરાવે છે. મહિલાઓ પશુઓનું દોહન કરવા માટે વાડીએ જવા રફ રસ્તા પરથી પસાર થવું પડે છે, જેનાથી તેમનો સમય અને શ્રમ વ્યય થાય છે. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને અગાઉ વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેથી, તાત્કાલિક ડામરથી મઢેલા પાકા રસ્તા બનાવવાની જરૂર છે.”

આગેવાનોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ રસ્તા પાકા ન બને તો ખેડૂતોની આજીવિકા અને પાક ઉત્પાદન પર નકારાત્મક અસર પડશે. તેઓએ સરકાર પાસેથી ઝડપી કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી છે. સ્થાનિક સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ આગેવાનો આ મુદ્દા પર ડટીને રહેશે તેવી તેમની નિશ્ચિતતા છે.

Gujarat state News @ State Chief Jadav Subhashbhai

Indian Crime News

Related Articles

Back to top button