Gujarat News : ગીર સોમનાથ: પ્રસનાવડા ગામે ગૌ રાષ્ટ્ર યાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું
रिपोर्टर परमार कनकसिंह प्राची गुजरात
ગીર સોમનાથ. જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રસનાવડા ગામે આજે ગૌ રાષ્ટ્ર યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ગામલોકોએ યાત્રાનું હર્ષોલ્લાસ સાથે અભિવાદન કરી ગૌ સંરક્ષણ અને ગ્રામ વિકાસના સંદેશને આવકાર્યો. યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતાનું રક્ષણ અને સંવર્ધન, પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવું, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું તેમજ ગાય આધારિત આત્મનિર્ભર ગ્રામ વિકાસ અંગે જનજાગૃતિ લાવવાનો રહ્યો હતો.

યાત્રા દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ ગૌ સંવર્ધન, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા અને ગાય આધારિત સ્વાવલંબી ગ્રામ વિકાસના મોડેલને અપનાવવાની અપીલ કરી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, ગૌભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને યાત્રાના ઉદ્દેશ્યોને સફળ બનાવવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Subscribe to my channel