વંદેમાતરમ ગાન ને ૧૫૦ વર્ષ પુરા થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ૧૪૦ કરોડ દેશવાસીઓ એ આનો અમલીકરણ કર્યો હતો કડી ની તમામ સરકારી કચેરિઓમા રાષ્ટ્રગીત નું ગાન થયું હતું સાથે સાથે વડાપ્રધાને સ્વદેશી અપનાવાઓ તેવી અપીલ પણ કરી છે
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે માતરમ ગીતના શબ્દો ‘ત્વમ હી પ્રાણા શરીરે’ એટલે કે પ્રત્યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પગલાં લીધાં છે.

Subscribe to my channel