Gujarat News : જામનગરમાં જાહેરમાં કચરો ફેંકનાર વેપારીઓ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી, 387 એકમો પાસેથી ₹2.29 લાખનો દંડ વસૂલાયો

रिपोर्टर रविंद्रसिंह सिसोदिया जामनगर गुजरात
જામનગર (ગુજરાત). શહેરને સ્વચ્છ અને સ્વચ્છતા નિયમોનું પાલન કરાવવાના હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અને સ્વચ્છતા નિયમોનો ભંગ કરતા કોમર્શિયલ એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ડસ્ટબિન ન રાખતા, રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેર માર્ગ પર કચરો ફેંકતા તેમજ સ્વચ્છતા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કુલ 387 દુકાનદારો અને કોમર્શિયલ એકમો પાસેથી રૂ. 2.29 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

મહાનગરપાલિકાએ શહેરના વેપારીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા, નિયમોનું પાલન કરવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવાની અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સ્વચ્છ શહેરના નિર્માણ માટે મહાનગરપાલિકાએ તમામ નાગરિકો અને વેપારીઓને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.



Subscribe to my channel