ગીર સોમનાથ પ્રાચી ધમ્મવાડી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ
કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન ગોરધનભાઈ રાઠોડ (એડવોકેટ) તથા એસ સી સમાધાન પંચના પ્રમુખશ્રી વ્રજભાઈ રામજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
પ્રાચી ધમ્મવાડી ખાતે ધોરણ 10-12ના 85 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
ગીર સોમનાથ | પ્રાચી ધમ્મવાડી

ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી મુકામે આવેલ ધમ્મવાડી ખાતે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર 85 તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, સામાજિક કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન ગોરધનભાઈ રાઠોડ (એડવોકેટ) તથા એસ સી સમાધાન પંચના પ્રમુખશ્રી વ્રજભાઈ રામજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ દેવીબેન રાઠોડ, તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ભજગોતર, પીઠાભાઈ આમેડા, જિલ્લા ગ્રામ્ય ભાજપ પ્રમુખ જીકાભાઈ ચાંડપા, બુધાભાઈ ચાવડા, દિલુભાઈ ચાવડા, પ્રતાપભાઈ ચાવડા, પ્રવીણભાઈ વાણવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચાવડા પરિવારના બુદ્ધિજીવી આગેવાનો સુરેશભાઈ ચાવડા, ભુપતભાઈ ચાવડા, કે.પી. બામણીયા, દેવરાજભાઈ ભજગોતર, ધીરુભાઈ માકડીયા તેમજ ચાવડા પરિવારના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના પ્રમુખ તથા પત્રકાર ભીમજીભાઈ ભજગોતર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આ સેવાકીય અને શૈક્ષણિક પ્રોત્સાહનના પ્રયાસને અનેક લોકોએ શુભેચ્છા સંદેશાઓ પાઠવી બિરદાવ્યો હતો.
વિદ્યાર્થીઓને સન્માનરૂપે સ્કૂલબેગ, નોટબુક, બોલપેન તેમજ ભારતીય બંધારણની નકલ આપવામાં આવી હતી. શિક્ષણ સાથે બંધારણીય મૂલ્યો અંગે જાગૃતિ આવે તે દિશામાં પણ આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.
આ પ્રસંગે ડી.કે. ઉગાભાઈ ચાવડા, શામજીભાઈ વાજા, રામભાઈ વાઢેર સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર રામભાઈ વાઢેરની પણ ઉપસ્થિતિ રહી હતી. કવિશ્રી સંજયભાઈ ભજગોતર સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને અન્ય વિદ્યાર્થીઓ પણ મહેનત કરીને ઉત્તમ પરિણામ મેળવવા પ્રેરાય તેવો હેતુ સાર્થક થયો હતો.
અહેવાલ : ભીમજીભાઈ ભજગોતર ગીર સોમનાથ
ઇન્ડીયન ક્રાઇમ ન્યૂઝ -:- નીડર,, નિષ્પક્ષ, ચેનલ સાથે પત્રકાર બનો -:-:-: તમારા વિસ્તારની ઘટનાઓ અમે પ્રસારિત કરશુ. ,અમારી ટીમ સાથે પત્રકાર બનો 9727001060

Subscribe to my channel