ઝઘડિયા તાલુકામાં વરસાદની માહોલ છવાયો: વાવાઝોડા સાથે આવેલ વરસાદ ને લય ને ખેડૂતો ને ખેતીમાં વધુ નુકસાન
- કમોસમી વરસાદને પગલે ચોમાસું વહેલું શરૂ થયું હોય એવું વાતાવરણ સર્જાયું!
ચાલુ સપ્તાહ દરમ્યાન આકાશમાં વાદળો છવાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ચોમાસુ શરૂ થઈ ગયું હોય એવું વાતાવરણ જોવા મળ્યું હતું.જોકે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતા ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો પરના પતરા ઉક્યા હતા.જ્યારે નળીયાવાળા કાચા મકાનોમાં નળીયાઓ માંથી ઘરોમાં પાણી ટપકતું હોઈ નળીયા ઉપર ઢાંકવાના પ્લાસ્ટિક તાડપત્રીનું વેચાણ ઠેરઠેર જોવા મળ્યું હતું.તાલુકાના રાજપારડી ઝઘડિયા ઉમલ્લા જેવા નગરોના બજાર વિસ્તારો સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં મકાન પર ઢાંકવાની તાડપત્રીનું ધુમ વેચાણ થતું જોવા મળ્યું હતું.ચોમાસું વિધિવત શરૂ થવાના દિવસ હવે નજીકમાં છે ત્યારે હાલ શરૂ થયેલ વરસાદને કમોસમી વરસાદ ગણવો કે પછી ચોમાસું વહેલું શરૂ થયું હોવાની વાતની પૃષ્ઠિ કરવી?જોકે હજું ચોમાસું નિયમ મુજબ શરૂ થયું હોય એમ તો નજ ગણાય, હજું સીમના ખેતરોમાં તલ શાકભાજી ફુલો જેવા વિવિધ ઉનાળુ પાકો લહેરાઈ રહ્યા છે.ત્યારે વાવાઝોડા અને વરસાદને લઈને કેળ સહિતના અન્ય પાકોને મોટું નુકશાન થયું હતું. કેળના પરિપકવ છોડ જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. વિતેલા દિવસો દરમ્યાન વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જણાતો હતો અને લોકો પરસેવાથી રેબઝેબ થઇને પંખા એસી કુલરોના સથવારે ગરમીથી રાહત મેળવતા હતા.ત્યારે વરસાદના આગમને વાતાવરણમાં આંશિક ઠંડક ફેલાવતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી હાલ રાહતનો અનુભવ થયો છે.ત્યારે વરસાદના આગમનથી નીચાણવાળા વિસ્તારો અને તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પરના ગરનાળાઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.