ब्रेकिंग न्यूज़
Gujarat News ગુજરાત રાજ્યમાં છ વર્ષની દીકરીઓ જ સલામત ન હોય તો દીદીને શિખામણ આપનાર દાદા ખુરશી છોડે – રવીન્દ્ર ત્રિવેદી
રિપોર્ટર રમેશ ત્રિવેદી થરાદ
આજે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ડિસા ખાતે ગરીબ કલ્યાણ મેળા14 નું રાજય વ્યાપી બનાસકાંઠાના ખાતે શુભ શરૂઆત કરશે. આ પહેલાં પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો પોતાની રજૂઆતો કરવા માટે પહોચે તે પહેલા જ ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ છે.
આ સમયે ખેડૂત અને રાજકીય આગેવાન રવીન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ. બંગાળ રાજ્યમાં બળાત્કાર સમયે રસ્તા પર ઉતરનાર ભાજપ આજે ગુજરાત રાજ્યમાં છ વર્ષની દીકરીઓ જ સલામત નથી તે આજે ક્યાં છે? જનતા પુછી રહી છે. ભાજપ પક્ષ માટે પોતાની સરકારમાં અને વિપક્ષી સરકારમાં નારીની ઈજ્જત નો ભેદભાવ શા માટે કરે છે ગમે તે પક્ષની સરકાર હોય પણ ગુનેગાર ને સજા થવી જોઇએ.ભુપેન્દ્ર પટેલે રાજીનામું આપી ઉત્તમ ઉદાહરણ આપવું જોઈએ.


Subscribe to my channel