ब्रेकिंग न्यूज़

Gujarat News કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ અનુસૂચિત જાતિ જનજાતિ કે અન્ય પછાત વર્ગ ને માટે અનામત વિરુદ્ધ અમેરિકા માં સ્પીચ આપી તેના વિરુદ્ધ માં આજ રોજ અનુચૂચિત જનજાતિ મોરચા ના આગેવાનો દ્વારા આજ રોજ મામલતદાર ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું

રિપોર્ટર ભૂપેન્દ્રકુમાર ચીખલી ગુજરાત

અનુચુચિત જાતિ ના પ્રમુખ એ વધુ માં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એ જે પ્રવચન આપ્યું હતું કે તેમાં ભારત વિરોધી અલગતાવાદી વિનાશક અને હિન્દુત્વ નું અપમાન છે .અને રાહુલ ગાંધી ની ભાષા હિન્દુ દેવી દેવતા ઓ પ્રત્યે અપમાન જનક હતી.એક નહિ પણ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે તેમાં ભારતીયો ની લાગણી દુભાય છે .અને વધુ માં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા હલકી કક્ષા નું અને એક ભારત ના નાગરિક ને ના શોભે એવું. અણ છાજ વર્તન કર્યું છે તે ખૂબ જ નિંદનીય છે .જેથી અમો આદિવાસી સમાજમોર્ચા ના લોકો રાહુલ ગાંધી વિરુદ્ધ આવેદન પત્ર આપીએ છીએ જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામત ની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા એને રદ કરવાનો પ્રયાસ કરશે તો અમે સખત વિરોધ કરશું એમ જણાવ્યું હતું
આમ આ રેલી માં એસટી મોરચા ના પ્રમુખ બિરેન ભાઈ પટેલ.મહામંત્રી સમીર ભાઈ.તાલુકા પંચાયત સભ્ય મહેશ ભાઈ પટેલ.(ફડવેલ).પંકજ ભાઈ પટેલ.યુવામોર્ચા જયવર્ધન ભાઈ હસમુખ ભાઈ રાનવેરિકલ્લા.કલ્પેશ ભાઈ આમોદરિયા.તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Indian Crime News

Related Articles

Back to top button